સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં આવેલી ખાણમાં ન્હાવા પડેલા એક યુવકનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મો*ત થયું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ અજય રાઠોડ નામનો યુવક મિત્રો સાથે ખાણ પાસે ગયો હતો, જ્યાં ન્હાવા દરમિયાન અચાનક ઊંડા પાણીમાં જતાં દુર્ઘટના સર્જાઈ હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને બચાવ ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. ભારે શોધખોળ બાદ યુવકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પરિવારનો એકનો એક દીકરો ગુમાવતા પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગામમાં પણ આ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ખનીજ માફિયાઓ દ્વારા ખોદવામાં આવેલી આવી ખાણો વરસાદી પાણીથી ભરાઈ જતા જોખમી બની જાય છે, છતાં યુવાનો અજાણતા ત્યાં ન્હાવા ઉતરી જતા આવી દુર્ઘટનાઓ સર્જાય છે.
આ ઘટના દરેક માટે ચેતવણી સમાન છે. બહારથી સામાન્ય દેખાતી ખાણો અંદરથી અત્યંત ઊંડી અને ખતરનાક હોઈ શકે છે. પાણીની ઊંડાઈ અને જમીનની સ્થિતિનો અંદાજ ન આવતાં પળવારમાં જીવલેણ અકસ્માત બની શકે છે.
સાવચેત રહો અજાણી ખાણો, તળાવો અથવા ઊંડા પાણીવાળા સ્થળોએ ન્હાવા જવું જોખમી સાબિત થઈ શકે છે.
ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
#BreakingNews #GujaratNews #ThanNews #Surendranagar #LocalNews #GujaratiNews #ViralNews
#NewsUpdate
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો